જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
થોમસ હન્ટ મોર્ગન (Thomas Hunt Morgan) તથા તેઓના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી
.જનીન $X-$ રંગસૂત્રો પર સ્થિત છેઅને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ-ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા (linkage) શબ્દ આપ્યો જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે અને બિનપિતૃ જનીન સંયોજનોની પેઢી માટે પુનઃસંયોજન (recombination) શબ્દ વાપર્યો.
મોર્ગને તથા તેના સહયોગીઓએ પણ તપાસ લગાવી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી (એટલે કે પુનઃસંયોજન ઘણું ઓછું હતું) (આકૃતિ પરફલન $A$). જ્યારે અન્ય ઢીલી રીતે (loosly) જોડાણ ધરાવતા હતા (એટલે કે પુનઃસંયોજન ઘણું ઊંચું હતું) (આકૃતિ પરફલન $B$). ઉદાહરણ તરીકે તેમણે શોધ્યું કે સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા અને તેમાં પુનઃસંયોજન $1.3\%$ હતું. જ્યારે સફેદ અને લઘુપંખ (miniature) જનીનનું પુનસંયોજન પ્રમાણ $37.2\%$ હતું
મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?
મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?
મેન્ડલનાં પરિણામોને કઈ પ્રક્રિયાઓના આધારે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સ્પષ્ટ સમજૂતી અપાઈ ?
વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?