(N/A) વિધાન: દરેક આઘાત (action) માટે હંમેશા સમાન અને વિરુદ્ધ પ્રત્યાઘાત (reaction) હોય છે. જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે,ત્યારે બીજો પદાર્થ પણ તેટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ પ્રથમ પદાર્થ પર લગાડે છે.
મહત્વના મુદ્દાઓ:
$(1)$ આઘાત અને પ્રત્યાઘાત હંમેશા જોડીમાં હોય છે. એકલું બળ અસ્તિત્વ ધરાવી શકે નહીં.
$(2)$ આઘાત અને પ્રત્યાઘાત બળના મૂલ્યો સમાન હોય છે પરંતુ દિશા વિરુદ્ધ હોય છે.
$(3)$ આઘાત અને પ્રત્યાઘાત બળ હંમેશા અલગ-અલગ પદાર્થો પર લાગે છે. તેથી,તેઓ એકબીજાની અસર નાબૂદ કરતા નથી.
$(4)$ આઘાત એ કારણ છે અને પ્રત્યાઘાત એ અસર છે.
ગાણિતિક સ્વરૂપ:
જો પદાર્થ $A$ દ્વારા પદાર્થ $B$ પર લાગતું બળ $\overrightarrow{F}_{AB}$ હોય અને પદાર્થ $B$ દ્વારા પદાર્થ $A$ પર લાગતું બળ $\overrightarrow{F}_{BA}$ હોય,તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ:
$\overrightarrow{F}_{AB} = -\overrightarrow{F}_{BA}$
ઉદાહરણ: જ્યારે હાથ વડે સ્પ્રિંગને દબાવવામાં આવે છે,ત્યારે હાથ સ્પ્રિંગ પર બળ લગાડે છે (આઘાત),અને સ્પ્રિંગ હાથ પર સમાન અને વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડે છે (પ્રત્યાઘાત).
નોંધ: જ્યારે આપણે કોઈ એક પદાર્થની ગતિનો વિચાર કરીએ,ત્યારે આપણે ફક્ત તે પદાર્થ પર લાગતા બળને ધ્યાનમાં લેવું જોઈએ. જો આપણે $A$ અને $B$ બંને પદાર્થોની સિસ્ટમનો વિચાર કરીએ,તો $\overrightarrow{F}_{AB}$ અને $\overrightarrow{F}_{BA}$ એ આંતરિક બળો છે અને તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય છે.