વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જમીનઆવૃત્તિ ફેરફાર પામે છે. નવા જનીનો / વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે.

આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે.

પૂર્વ-અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી, તે જાતિનિર્માણમાં પરિણમે છે. 

Similar Questions

કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ? 

હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?

  • [NEET 2016]

એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]

કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?

નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?