એક વિસ્તારમાં એક વર્તુળાકાર બગીચો એવી રીતે બનાવવામાં આવે છે કે તેનું ક્ષેત્રફળ $16$ મી અને $12$ મી વ્યાસના બે વર્તુળાકાર બગીચાનાં ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, તો નવા બગીચાની ત્રિજ્યા ............ હોય.(મી માં)
$24$
$20$
$15$
$10$
બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર $4: 5$ છે, તો તેમનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ......... હોય.
એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?
વર્તુળના ક્ષેત્રફળની અંકીય કિંમત તેના પરિઘની અંકીય કિંમત કરતાં વધુ છે. આ વિધાન સાચું છે ? શા માટે ?
$8.4$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. આ બે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ......... સેમી$^2$ હોય.
વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.