બાયો-સાવરના નિયમ અને સ્થિત વિધુતક્ષેત્ર માટે કુલંબના નિયમની સામ્યતાઓ અને વિષમતાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બાયો-સાવરના નિયમ અને સ્થિત વિદ્યુતક્ષેત્ર માટે કુલંબના નિયમની સામ્યતાઓ અને વિષમતાઓ નીયે પ્રમાણે છે.

સામ્યતાઓ :

$(1)$ બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્તના નિયમો છે.

$(2)$ બંને ગુરુઅંતરીય ક્ષેત્રો છે.

$(3)$ બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સ્થિત વિદ્યુતક્ષેત્ર $E =\frac{k Q }{r^{2}}$ પરથી $E \propto Q$ છે તેવી જ રીતે બાયો-સાવરનો નિયમ $B =\frac{\mu_{0}}{4 \pi} \frac{ I d l \times \hat{r}}{r^{2}}$ પરથી $B \propto I d l$ છે.

વિષમતાઓ $:$

$(1)$ ચુંબકીયક્ષેત્ર સદિશ ઘટક $I d \vec{l}$ ના કારણે મળે છે. જ્યારે વિદ્યુતક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુતભાર $d q$ ના કારણે મળે છે.

$(2)$ સ્થિતવિદ્યુતક્ષેત્રની દિશા ઉદગમ (સ્ત્રોત વિદ્યુતભાર) અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુતપ્રવાહ $I d \vec{l}$ અને $\vec{r}$ ને સમાવતા સમતલને લંબરૂપે હોય છે.

$(3)$ બાયૉ-સાવરનો નિયમ ખૂણા $\theta$ પર આધારિત છે.બિંદુએ ચુંબકીયક્ષેત્ર શૂન્ય મળે છે. જ્યારે કુલંબનો નિયમ $\theta$ પર આધારિત નથી.

Similar Questions

$n$ બાજુવાળા બહુકોણની ત્રિજયા $a$ છે,તો કેન્દ્ર $O$ પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

  • [KVPY 2012]

$r$ ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ માં $I$ એમ્પિયર પ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર અને કેન્દ્રથી લૂપના અક્ષ પર $r$ અંતર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $...........$ થાય.

  • [JEE MAIN 2023]

$4 \pi$ મીટર લંબાઈના તારને વાળીને $6$ બાજુઓ વાળો બહુકોણ (ષટ્કોણ) બનાવવામાં આવે છે. જો બહુકોણ $4 \pi \sqrt{3} \mathrm{~A}$ વિદ્યુત્પવાહનું વહન કરતો હોય તો બહુકોણના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર $10^{-7} x$ ટેસ્લા છે. $x$ નું મૂલ્ય____________છે.

  • [JEE MAIN 2024]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ પહોળાઈ અને  $a$ ત્રિજ્યાની રિંગ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા  $\sigma$ છે,તે તેની અક્ષ ફરતે $f$ આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે,ધારો કે વિદ્યુતભાર માત્ર બહારના પૃષ્ઠ પર છે.કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ કેટલું છે.(ધારો કે $d \ll a$ ) 

અક્ષ પર કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીયક્ષેત્રનું સમીકરણ દર્શવો.