કુટુંબનિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય રીતે અસર કરે છે. આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપલબ્ધ છે. સંક્રમિત રોગોથી રક્ષણ મળે છે.

આ પદ્ધતિમાં અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સંપર્કમાં આવતા રોકાય છે.

$(i)$ ભૌતિક પદ્ધતિ $:$ પાતળા રબરના બનેલા નિરોધનો ઉપયોગ કરાય છે.

જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીઓની યોનિ તથા ગ્રીવાને સંવનનના થોડા સમય પહેલા ઢાંકવામાં આવે છે. સ્ખલિત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં પ્રવેશી ના શકે. જેનાથી ગર્ભાધાન થતું નથી.

નિરોધનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે. જેના કારણોમાં તેનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંક્રમિત રોગો અને એઇસથી બચી શકે છે.

આ જાતે જ પહેરી તેમજ નિકાલ કરી શકાય તેવા હોય છે. ઉપયોગકર્તાની ગોપનીયતા (privacy) જળવાઈ રહે છે. આંતરપટલ (diaphragms) ગ્રીવા ટોપી અને વોટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે. જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાય છે.

તેઓ શુક્રકોષોનો ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવે છે. તે પુનઃઉપયોગમાં લઈ શકાય છે.

$(ii)$ રાસાયણિક પદ્ધતિ $:$ આમાં શુક્રાણુનાશક ક્રીમ, જૈલ કે ફોમનો ઉપયોગ કરાય છે. ક્રીમ સ્વરૂપે ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષની ઑક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે છે અને શુક્રકોષોનો નાશ કરે છે.

Similar Questions

રેપ પછીના $72$ કલાકમાં  આપવામાં આવતી ઈમરજન્સી ગર્ભનિરોધક માટે નીચેનામાથી ક્યું સૌથી વધારે અસરકારક છે ? 

A. પ્રોજેસ્ટોનનો ઉપયોગ

B. પ્રોજેસ્ટોનનો એસ્ટ્રોજન બંને

C. સમાગમન બાદના $72$ કલાકમાં $IUD$  એનઆઇ સ્થાપના

વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે. 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ વાઢકાપ પદ્ધતિ $I$ સહેલી
$Q$ મોં દ્વારા લેવામાં આવે $II$ ટયુબેકટોમી
$R$ $IUDs$ $III$ બહાર કાઢવું
$S$ અવરોધન પદ્ધતિ $IV$  આંતર પટલ
$T$ કુદરતી પદ્ધતિ $V$ $Cu 7$

પ્રોજેસ્ટોજેન - ઇસ્ટ્રોજનના સંયુક્ત સ્વરૂપમાં ગર્ભઅવરોધકના ઉપયોગની અગત્યતા જણાવો. 

દૂધસ્રાવ એમેનોર્લીયામાં, પ્રસૂતિ બાદ તીવ્ર દૂધસ્ત્રાવને કારણે પ્રોલેક્ટીનનાં વધુ પ્રમાણને કારણે અંડપાત અથવા માસીક સ્ત્રાવ જોવા મળતો નથી, પ્રોલેક્ટીન એ :