એક છત્રીમાં $8$ સળિયા સરખા અંતરે આવેલા છે. ધારો કે છત્રી એક સમથલ વર્તુળ છે કે જેની ત્રિજ્યા $56 \,cm $ છે. તો બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$.
$616$
$308$
$924$
$1232$
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)
બે વર્તુળોની ત્રિજ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેઓના બે લઘુવૃત્તાંશોના ખૂણાના માપનો ગુણોત્તર $5: 2$ છે, તો તે બે લઘુવૃત્તાંશોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ........... થાય.
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)
બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર $4: 5$ છે, તો તેમનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ......... હોય.
જેના અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય, તેવાં બે ભિન્ન વર્તુળોના બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં હોય. આ વિધાન સત્ય છે ? શા માટે ?