મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે ફળમાખી કેમ પસંદ કરી હતી ?
થોમસ હન્ટ મોર્ગન (T. H. Morgan) તથા તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીય વાદની પ્રયોગાત્મક ચકાસણી કરી.
લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી.
મોર્ગને ફળમાખી (Drosophila melanosaster) પર કાર્ય કર્યું. કારણ,
તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી.
તે પોતાનું જીવનચક્ર $15$ દિવસમાં (બે અઠવાડિયા) પૂરું કરે છે.
એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે.
તેમાં લિંગભેદ સ્પષ્ટ હતું. નર અને માદાની સહેલાઈથી ઓળખ થાય છે.
આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા જે સૂક્ષ્મદર્શકયંત્રના લૉ-પાવરમાં પણ જોઈ શકાતા હતા.
આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ.....ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.
કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?
મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?
મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ