અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
એન્ટિબાયોટિક (પ્રતિજીવી)
એન્ટાસિડ (પ્રતિઍસિડ)
એનાલ્જસિક (વેદનાહર)
એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી)
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?
જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે ?