આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો.
આલ્કોહૉલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વર્ગીકૃત થતા નથી કારણ કે તે પોતાના દ્રાવણના વિયોજનથી $H^+$ $(aq)$ આયનો ઉત્પન્ન કરી શકતા નથી. પરિણામે તેઓ વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરી શકતા નથી.
આવા આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેમનું વર્ગીકરણ ઍસિડમાં થઈ શકતું નથી. આ બાબત નીચેની પ્રવૃત્તિ દ્વારા વર્ણવી શકાય છે.
પ્રવૃત્તિ :
આ પ્રવૃત્તિ કરવા માટે સૌ પ્રથમ એક બીકર લેવામાં આવે છે.
ત્યારબાદ એક રબરનો બૂચ લઈ તેના ઉપરના ભાગે બે લોખંડની ખીલીઓ ફીટ કરવામાં આવે છે.
આવા લોખંડની ખીલીઓ ફીટ કરેલા બૂચને હવે બીકરની અંદર મૂકવામાં આવે છે.
ત્યારબાદ હવે બંને ખીલીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૅટરી, બલ્બ અને સ્વિચ વડે જોડવામાં આવે છે.
હવે, આ બીકરમાં સૌ પ્રથમ ઇથેનોલ $(CH_3CH_2OH)$ નું દ્રાવણ ઉમેરીને તમારા અવલોકનો નોંધો.
ત્યારપછી ફરીથી આ જ બીકરમાં ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ નું દ્રાવણ ઉમેરીને તમારા અવલોકનો નોંધો.
અવલોકન : આ પ્રવૃત્તિ દરમિયાન અવલોકન કરી શકાય છે કે જ્યારે બીકરમાં આલ્કોહોલ અથવા ગ્લૂકોઝ લઈને પ્રયોગ કરવામાં આવે છે ત્યારે બલ્બ ચાલુ થતો નથી.
નિર્ણય : આ પ્રવૃત્તિના અવલોકન પરથી એ નિર્ણય કરી શકાય છે કે આલ્કોહૉલ અને ગ્લૂકોઝ તેના દ્રાવણોમાં આયનો ઉત્પન્ન કરી શકતા નથી.
પરિણામે, તે વિદ્યુતનું વહન કરી શકતા નથી, પરંતુ જો આજ પ્રયોગ $HCl$ (હાઇડ્રોક્લોરિક ઍસિડ) લઈને કરવામાં આવે તો તેમાં વિયોજન થવાથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.
પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો
$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની મૅગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં.
પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....
$(a)$ તટસ્થ હશે ?
$(b)$ પ્રબળ બેઝિક હશે ?
$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?
$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?
$(e)$ નિર્બળ બેઝિક હશે ?
$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?