નાના પદાર્થો માટે પૃથ્વી પર તેનું ગુરુત્વકેન્દ્ર એ તેનાં દ્રવ્યમાન કેન્દ્ર પર સંપાત થાય છે. જ્યારે વિસ્તૃત (મોટા) પદાર્થ માટે આમ હોતું નથી. આ સંદર્ભમાં નાના અને મોટા પદાર્થનો ગુણાત્મક અર્થ શું છે ? નીચેના પૈકી કોના માટે બંને કેન્દ્રો સંપાત થશે ? મકાન, તળાવ, સરોવર, પર્વત
પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં જો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ (લંબઅંતર) ખૂબ ઓછી હોય તો તે પદાર્થને નાનો ગણાય અન્યથા તેને વિસ્તૃત (મોટો) કહેવાય.
આમ,મકાન અને તળાવ બંને નાના પદાર્થો ગણાય.જ્યારે પર્વત અને ઊંડું સરોવર એ બંને વિસ્તૃત પદાર્થો ગણાય.તેથી મકાન અને તળાવના ગુરુતવકેન્દ્ર અને દ્રવ્યમાનકેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય છે.
એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
$m_1$ અને $ m_2$ દળના બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ શોધો. તેઓ એકબીજાથી $ L$ અંતરે રહેલાં છે.
દરેક $M$ દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ $3\,m$ ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક $\sqrt{x} m$ છે, તો $x=........$ થશે.
સમાન દળના બે કણોનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો.