એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક $cm$ ને $20$ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના $10$ કાપાઓ મુખ્ય સ્કેલ પરના $9$ કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... $\times 10^{-2} \,mm$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $3$

  • B

    $5$

  • C

    $7$

  • D

    $9$

Similar Questions

સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલના બે પૂર્ણ આંટા દ્વારા મુખ્ય સ્કેલ પર $1\; mm$ નું અંતર નક્કી થાય છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે. તેની સાથે એવું જોવા મળ્યું છે કે સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.03\;mm$ છે. જ્યારે એક પાતળા તારનો વ્યાસ માપવાના પ્રયોગમાં વિદ્યાર્થી મુખ્ય સ્કેલ પર $3\; mm$ વાંચન કરે છે. મુખ્ય સ્કેલને અનુરૂપ વર્તુળકાર સ્કેલના કાપાઓની સંખ્યા $35$ છે. તારનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે?

  • [AIEEE 2008]

સ્ક્રૂગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકન મળે છે.

મુખ્ય સ્કેલ પરનું અવલોકન $=1 \mathrm{~mm}$.

વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $=42$ વિભાગો

સ્ક્રૂગેજ માટે પીચનું મૂલ્ય $1 \mathrm{~mm}$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ વિભાગો છે. તારનો વ્યાસ $\frac{x}{50} m m$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . હશે.

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ મિલિમિટરમાં માપન કરે છે અને વર્નિયર સ્કેલના $8$ કાંપા મુખ્ય સ્કેલના $5$ સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયરના બંને જબડા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય  મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. એક સળિયાને વર્નિયરના બંને જબડા વચ્ચે મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $36$ કાંપા જેટલું ડાબી બાજુ ખસે છે અને વર્નિયર સ્કેલનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો અવલોકનનું મૂલ્ય .......... $cm$ હશે. 

ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.

  • [JEE MAIN 2022]

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.

  • [JEE MAIN 2023]