આપેલ સદિશો $A$ અને $B$ ના પરિણામી સદિશનું માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા $\theta$ ના પદમાં મેળવો. 
885-2

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આકૃતિ માં દર્શાવ્યા અનુસાર $OP$ અને $OQ$ બે સદિશો $A$ અને $B$ ને રજૂ કરે છે જેમની વચ્ચેનો ખૂણો $\theta$ છે. તો સદિશોના સરવાળા માટેની સમાંતરબાજુ ચતુષ્કોણની રીત અનુસાર $OS$ પરિણામી સદિશ $R$ રજૂ કરે છે :
$R = A + B$
$SN$, $OP$ ને લંબ છે તથા $PM$, $OS$ ને લંબ છે. તેથી આકૃતિની ભૂમિતિ અનુસાર,
$O S^{2}=O N^{2}+S N^{2}$
પરંતુ, $\quad O N=O P+P N=A+B \cos \theta$
$S N=B \sin \theta$
$O S^{2}=(A+B \cos \theta)^{2}+(B \sin \theta)^{2}$
અથવા,  $R^{2}=A^{2}+B^{2}+2 A B \cos \theta$
$R=\sqrt{A^{2}+B^{2}+2 A B \cos \theta}$     $(4.24a)$ 
$\Delta$ $OSN$ માં, $S N=O S \sin \alpha=R \sin \alpha,$
અને $\Delta$ $PSN$, $\quad S N=P S \sin \theta=B \sin \theta$
તેથી $\quad R \sin \alpha=B \sin \theta$
અથવા $\frac{R}{\sin \theta}=\frac{B}{\sin \alpha}$       $(4.24b)$
તે જ રીતે, $PM =A \sin \alpha=B \sin \beta$
અથવા, $\frac{A}{\sin \beta}=\frac{B}{\sin \alpha}$           $(4.24c)$
સમીકરણ $(4.24b)$ અને $(4.24c)$ પરથી,
$\frac{R}{\sin \theta}=\frac{A}{\sin \beta}=\frac{B}{\sin \alpha}$      $(4.24d)$ 
સમીકરણ $(4.24d)$ પરથી આપણે નીચેનું સૂત્ર મેળવી શકીએ છીએ :
$\sin \alpha=\frac{B}{R} \sin \theta$         $(4.24e)$ 
અહીં $R$ નું મૂલ્ય સમીકરણ $(4.24a)$ માં આપેલ છે.
અથવા,  $\tan \alpha=\frac{S N}{O P+P N}=\frac{B \sin \theta}{A+B \cos \theta}$               $(4.24f)$
સમીકરણ $(4.24a)$ પરિણામી સદિશનું માન અને સમીકરણો $(4.24e)$ તથા $(4.24f)$ તેની દિશા આપે છે. સમીકરણ $(4.24a)$ ને કોસાઇનનો નિયમ $(Law\, of \,Cosines)$ અને સમીકરણ $(4.24d)$ ને સાઇનનો નિયમ $(Law \,of\, sines)$ કહે છે.

Similar Questions

બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?

સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. અથવા સાબિત કરો કે સદિશ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે.

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIIMS 2016]

સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો. 

પાંચ સદિશો છે. દરેકનું મૂલ્ય $8$ એકમ છે. આ સદિશો વડે એક નિયમિત પંચકોણ બને છે, તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.