નિવસનતંત્રની સંરચના અને તેની કાર્યકી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરદ્રિયા ઓના પરિષામ સ્વરૂપ એક નિવસનતંત્રની લાક્ષણિક્તા છે.

એક નિવસનતંત્રની વનસ્પતિ અને પ્રાહીજતિઓની ઓળખ તથા ગણુના તેની જતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જતિઓના ઊર્ધ્વસ્થ વિતરૂ (vertical distribution)ને સ્તરીકરણ (stratification) કહે છે. ઉદાહરણ : વૃક્ષો એ જંગલના સર્વોચ્ય ઊર્ધ્વસ્થ સત્તરે ક્કુપો દ્વિતીય સ્તરે અને છોડ તથા તૃણનિમ્ન સ્તરે ગોઠવાયેલાં હોય જ્યારે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે નિવસનતંત્રના બધા જ ધટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે : $(i)$ ઉત્પાદકતા, $(ii)$ વિઘટન, $(iii)$ શક્તિપ્રવાહ અને $(iv)$ પોપક ચક્ર. એક નાના તળાવના ઉદાહરણ દ્વારા જલજ નિવસનતંત્રની પ્રકૃતિ સમજી શકાય છે.

આ એક સ્પષ્ટ સ્વયં સ્થાયી એકમ અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે જે એક જલજ નિવસનતંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની પણ સમજ આપે છે.

તળાવ એ છીછરા પાછીનું સંગ્રહસ્થાન છે કે જેમાં નિવસનતંત્રના બધા જ ચાર મૂળભૂત ધટકો ખૂબ જ સારી રીતે પ્રદર્શિત થાય છે.

પાણી એ એક અજૈવિક ધટક છે કે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે અને તળાવના તળિયે સેન્દ્રિય તત્ત્વોસભર માટીની જમાવટ થાય છે.

સૂર્ય-ઊર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ (સમયગાળો) અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે.

વનસ્પતિ પ્લ્વકો,કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન (ડૂબેલી)તથા કિનારે જોવા મળતી  વનસ્પતિઓ વગેરે સ્વયંપોશી ઘટકો જોવા મળે છે.

મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતાં પ્રાણીપ્લવકો ઉપભોકતાનું પ્રતિનિધિત્વં કરે છે.

ફૂગ,બેક્ટેરિયા અને કશાધારી  વિઘટકો છે જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે. 

આ તંત્ર કોઈ પણ નિવસનતંત્રના કે સમગ્ર જીવાવરણના બધાજ કર્યો રજૂ કરે છે,એટલે  કે સ્વયંપોશી દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વોમાં રૂપાંતરણ, વિષમપોષીઓ  દ્વારા   સ્વયંપોષીઓનો ઉપયોગ,મૃત, કાર્બનિક પદાર્થોનું વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષીઓ દ્વારા પુન:ઉપયોગ માટે તેઓને પાછા મુક્ત કરવામાં ,આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે.

Similar Questions

તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?

ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ

નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?

સ્તરીકરણ (stratification) એટલે ........

નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ.... 

નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.