આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરાગનયનને અંતે પરાગરજ માદા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય છે.પરાગનયનને અનુસરીને ફલનની ક્રિયા થાય છે.

પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં પરાગનલિકા વિકસે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે. અને બીજાશયમાં પ્રવેશી અંડક પાસે પહોંચે છે. આ સમયે પરાગનલિકાના પોલાણમાં બે નરજન્યુઓ સમાવિષ્ટ હોય છે.

બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ, પરાગનલિકા બે નરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે.

બે પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી અને તેના કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સંયુગ્મન (syngamy) પૂર્ણ થાય છે. જેના પરિણામે કિકીય કોષ, યુગ્મનજ $(2n)$ સર્જાય છે.

અન્ય નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ આગળ વધી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર (Primary endosperm nucleus - $PEN$)નું નિર્માણ કરે છે. આમ ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ (triple fusion) કહે છે.

આમ, સંયુગ્મન અને ત્રિકીય જોડાણ બે પ્રકારના જોડાણ ભૂણપુટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન (double fertilization) કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે.

મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભૂણપોષ કોષ $(PEC)$માં પરિણમે છે અને ભૃણપોષ (endosperm) તરીકે વિકાસ પામે છે. જયારે યુગ્મનજમાંથી ભૂણનો વિકાસ થાય છે.

964-s41g

Similar Questions

નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

  • [NEET 2019]

સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....

બેવડાં ફલનમાં......

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

અંડકોષ અને નરજન્યુનું જોડાણ $- P$

દ્વિતીય કોષકેન્દ્રો અને નરજન્યુનું જોડાણ $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad\quad Q$