લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. જેને બીજાણુજનક (sporogenous tissue) કહે છે.
લઘુબીજાણુજનન (microsperogenesis) : પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક (microspore tetrads / pollen tetrads) સર્જે છે.
બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે.
જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે.
પરાગ માતૃકોષ (pollen mother cell - PMC)માંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન (microsporogenesis) કહે છે.
લઘુબીજાણુ સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે.
પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે.
દરેક લઘુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.
પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?
પુંકેસરની કઈ રચના લાંબી છે?
પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?