(N/A) લાક્ષણિક પુંકેસર બે મુખ્ય ભાગોનું બનેલું હોય છે: લાંબો અને પાતળો દંડ જેને પુંકેસરતંતુ (filament) કહેવાય છે,અને અંતિમ,સામાન્ય રીતે દ્વિ-ખંડીય રચના જેને પરાગાશય (anther) કહેવાય છે.
પુંકેસરતંતુનો નજીકનો છેડો પુષ્પના પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલો હોય છે.
જુદી જુદી જાતિના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈ અલગ-અલગ હોય છે.
એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનું પરાગાશય દ્વિ-ખંડીય હોય છે,જેમાં દરેક ખંડમાં બે કોટર (theca) હોય છે,એટલે કે તે દ્વિ-કોટરીય (dithecous) હોય છે.
ઘણીવાર,એક આયામ ખાંચ લંબાઈની દિશામાં ચાલે છે,જે કોટરને અલગ કરે છે.
પરાગાશય ખૂણાઓ પર સ્થિત ચાર લઘુબીજાણુધાનીઓ (microsporangia) ધરાવે છે.
આ લઘુબીજાણુધાનીઓ આગળ વિકાસ પામીને પરાગકોથળીઓ (pollen sacs) બને છે,જે પરાગરજથી ભરેલી હોય છે.