તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.
$pH$ નું મૂલ્ય $6$ કરતાં ઘટશે. કારણ કે દૂધમાંથી દહીં બનવાને કારણે તેમાં લેક્ટિક ઍસિડનું નિર્માણ થાય છે જે તેને વધુ ઍસિડિક બનાવે છે.
આમ, દૂધમાંથી દહીં બને છે ત્યારે તેની $pH$ $6$ કરતાં ઓછી થાય છે.
ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે ?
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
$CaOCl_2$ સંયોજનનું સામાન્ય નામ શું છે ?