સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?
સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દેશ્ય-શ્રાવ્ય છાપકામ કે પ્રચાર-પ્રસાર (print-media)ની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે.
આમાં માતાપિતા, નજીકનાં સગાં-સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોનું યોગદાન પણ મહત્ત્વનું છે.
શાળાઓમાં જાતીય શિક્ષણની શરૂઆત થવી જોઈએ જેથી યુવા વર્ગ સાચી અને યોગ્ય માહિતી મેળવે.
બાળકો જાતીયતા સંબંધી વિવિધ પાસાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી ગેરમાન્યતા/સમજણથી દૂર રહે.
લોકો પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેમાં જોવા મળતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર (sexual practices), જાતીય સંક્રમિત રોગો $(STD),$ $AIDS$ વગેરેની માહિતી મેળવે.
ખાસ કરીને કિશોરાવસ્થા વયજૂથની વ્યક્તિઓ માટે જરૂરી છે જે તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ લઈ જશે.
નવપરણિત યુગલો, લગ્નવય જૂથ ધરાવતી વ્યક્તિઓને જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતા, પ્રસવ બાદ શિશ ને માતાની કાળજી, રતનપાનનું મહત્ત્વ, છોકરો અને છોકરીને સમાન તક વગેરે અંગે શિક્ષિત કરાય.
અનિયંત્રિત વસ્તીવૃદ્ધિની સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા વગેરે અંગે જાગૃતતા કેળવી લોકો તેને રોકવા સક્ષમ બની જવાબદાર સમાજની રચના કરે.
વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?
નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.
સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, લખનઉ દ્વારા નિર્માત વિશ્વની સૌપ્રથમ બીન અંતઃસ્ત્રાવીય ગર્ભનિરોધક ગોળી ................ છે.
પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.