એક આદર્શ વાયુનું $(p_1, V_1, T_1)$ થી $(p_2, V_2, T_2)$ સુધી વિવિધ પરિસ્થિતિઓમાં વિસ્તરણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે:
[$A$] જ્યારે વાયુને $(p_2, V_2)$ થી $(p_1, V_1)$ સુધી અચળ દબાણ $p_1$ ની વિરુદ્ધ અપ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે વાયુ પર થયેલું કાર્ય મહત્તમ હોય છે.
[$B$] જ્યારે વાયુને સમોષ્મી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે ત્યારે થયેલું કાર્ય,સમતાપી પરિસ્થિતિમાં $V_1$ થી $V_2$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવામાં આવે તેના કરતા ઓછું હોય છે.
[$C$] વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(i)$ શૂન્ય છે,જો તેનું $T_1=T_2$ સાથે પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે,અને $(ii)$ ધન છે,જો તેનું $T_1 \neq T_2$ સાથે સમોષ્મી પરિસ્થિતિમાં પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે.
[$D$] જો વિસ્તરણ મુક્ત રીતે કરવામાં આવે,તો તે એકસાથે સમતાપી અને સમોષ્મી બંને હોય છે.