એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.

$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?

$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ દૂધવાળો તાજા દૂધની $pH$ ને $ 6$ થી થોડી બેઝિક તરફ ફેરવે છે કારણ કે આમ કરવાથી દૂધનું માધ્યમ બેઝિક બને છે. આથી તે લાંબા સમય સુધી ખાટું થતું નથી એટલે કે આવું દૂધ ઝડપથી બગડી જતું નથી.

$(b)$ આવું દૂધ દહીં બનવા માટે લાંબો સમય લે છે કારણ કે તેમાં બેકિંગ સોડાના સ્વરૂપમાં બેઇઝ હાજર હોવાથી તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે તેને સરળતાથી ઍસિડિક બનવા દેતું નથી. આથી દૂધ દહીં બનવા લાંબો સમય માગી લે છે.

Similar Questions

કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ? 

સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. 

એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તેની $pH$ લગભગ ................. હશે..

તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?

જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો  $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?