કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ કસનળી $A$ માં થતી પ્રક્રિયા :

$2 HCl (a q)+ Mg (s) \rightarrow MgCl _{2}(a q)+ H _{2}(g)$

$(ii)$ કસનળી $B$ માં થતી રાસાયણિક પ્રક્રિયા :

$2 CH _{3} COOH (a q)+ Mg (s) \rightarrow\left( CH _{3} COO \right)_{2} Mg (a q)+ H _{2}(g)$

આમ, બંને કસનળીઓમાં $H_2$ વાયુ ઉદ્ભવવાને કારણે ઊભરા આવતા જોવા મળે છે. પરંતુ કસનળી $A$ માં કસનળી $B$ ની સરખામણીમાં વધુ શક્તિશાળી ઊભરા જોવા મળે છે.

કારણ કે કસનળી $A$ માંનો $HCl$ એ પ્રબળ ઍસિડ હોવાથી તેનું વિયોજન વધુ પ્રમાણમાં થાય છે. પરિણામે $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા વધુ હોય છે.

જયારે કસનળી $B$ માંનો $CH_3COOH$ એ નિર્બળ ઍસિડ હોવાથી તેનું વિયોજન અલ્પપ્રમાણમાં થાય છે. આથી $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા ઓછી હોય છે.

Similar Questions

પ્લાસ્ટર ઑફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.

એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તેની $pH$ લગભગ ................. હશે..

પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ? 

શા માટે $HCl$, $HNO_3$ વગેરે જલીય દ્રાવણોમાં ઍસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતાં નથી ? 

ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો.