(N/A) મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકો વિશે જણાવ્યું હતું કે જે સ્વરૂપ પ્રકાર (phenotype) પર અસર કરે છે. ડાર્વિને આ બાબતને કદાચ અવગણી હશે અથવા તેના પર મૌન રહ્યા હશે. $20$ મી સદીના પ્રથમ દસકામાં હ્યુગો-દ-વ્રિસે ઇવનિંગ પ્રાઈમરોઝ (evening primrose) વનસ્પતિ પર કરેલા કાર્યના આધારે વિકૃતિ (mutation) ના વિચારો રજૂ કર્યા,જેનો અર્થ વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું છે.
તેમનું માનવું હતું કે ઉદ્દવિકાસ માટે વિકૃતિ જ જવાબદાર છે,નહીં કે ડાર્વિન દ્વારા વર્ણવેલી નાની (વારસાગત) ભિન્નતાઓ. વિકૃતિઓ યાદચ્છિક અને દિશાવિહીન હોય છે,જ્યારે ડાર્વિનની ભિન્નતાઓ નાની અને દિશાસૂચક હોય છે. ડાર્વિન માટે ઉદ્દવિકાસ એક ક્રમબદ્ધ પ્રક્રિયા હતી,જ્યારે દ-વ્રિસના મતે વિકૃતિ જ જાતિનિર્માણનું કારણ છે,જેને તેમણે $Saltation$ (એક પગલામાં થતી મોટી વિકૃતિ) તરીકે ઓળખાવ્યું.