બર્નુલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગીતા જણાવો.
બર્નુલીના સમીકરણની મર્યાદા :
બર્નુલીનું સમીકરણ નીચેની મર્યાદા સાથે વાપરી શકાય છે.
$(i)$ તરલ અશ્યાન હોવું જોઈએ.
$(ii)$ તરલ અદબનીય હોવું જોઈએ.
$(iii)$ તરલનું વહન ધારારેખીય હોવું જોઈએ પ્રક્ષુબ્ધ નહિ.
$(iv)$ તરલનું વહન અચક્રિય હોવું જોઈએ.
બર્નુલીના સમીકરણની ઉપયોગીતા લખો.
બર્નુલીના સમીકરણ પરથી નીચેના સાધનો કાર્ય કરે છે :
$(i)$ વેન્ચુરી મીટર
$(ii)$ એટોમાઈઝર અથવા સ્પ્રેપંપ.
$(iii)$ वિમાનની પાંખોને મળતી દિફટ $(lift)$.
$(iv)$ સ્પિન કરેલા બોલનો ગતિમાર્ગ વક્ર થાય છે.
બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.
ઍરોફોઇલ એટલે શું? એરોફોઈલ સમજાવો .
બર્નુલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટએટેક સમજાવો.
એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$