ત્રિકીય જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય છે? ત્રિકીય જોડાણમાં ભાગ લેતાં કોષકેન્દ્રોનાં નામ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

.બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ, પરાગનલિકા બે નરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે. બે પૈકીનો એક નર જન્ય, અંડકોષ તરફ વહન પામી અને તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ, સંયુગ્મન (syngamy) પૂર્ણ થાય છે. જેના પરિણામે દ્વિકીય કોષ, યુગ્મનજ $(2n)$ સર્જાય છે.

અન્ય નર જન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલાં દ્વિતીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરી, તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર (primary endosperm nucleus = $PEN$ )નું નિર્માણ કરે છે (આકૃતિ $a$ ). આમ, ત્રણ એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ (triple fusion) કહે છે.

આમ, સંયુગ્મન અને ત્રિકીય જોડાણ, બે પ્રકારના જોડાણ ભ્રૂણપુટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન (double fertilization) કહે છે. જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે. મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (primary endosperm cell $-PEC$ ) માં પરિણમે છે અને ભ્રૂણપોષ (endosperm) તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે.  

Similar Questions

બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.

ત્રિકીય જોડાણ એટલે ... 

બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?

બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

ફલન બાદ કોનું વિઘટન થાય છે?