(N/A) એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને બહુ-ભ્રૂણતા કહેવામાં આવે છે.
ઘણી સાઇટ્રસ અને કેરીની જાતોમાં,ભ્રૂણપૂટની આસપાસના કેટલાક પ્રદેહના કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે,ભ્રૂણપૂટમાં પ્રવેશ કરે છે અને ભ્રૂણમાં વિકસે છે. આવી જાતિઓમાં દરેક અંડકમાં ઘણા ભ્રૂણ હોય છે.
બહુ-ભ્રૂણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયતી ખેતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ ભ્રૂણમાંથી મેળવેલા છોડ સામાન્ય રીતે વાયરસ મુક્ત હોય છે અને ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે.
ઘણા ફળો અને શાકભાજીના પાકો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે,કારણ કે આ પ્રદેહીય ભ્રૂણ પિતૃ છોડના ઇચ્છનીય લક્ષણો જાળવી રાખતા ક્લોન ઉત્પન્ન કરે છે,જે સંકર પાકોમાં ઉચ્ચ ઉત્પાદકતા અને એકરૂપતા તરફ દોરી જાય છે.