બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?
બીજમાં એક કરતાં વધુ ગર્ભ (ભ્રૂણ) હોવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે. ઘણી લીંબુ (citrus) અને આંબાની જાતોમાં, ભ્રૂણપુટની ફરતે આવેલ પ્રદેહના કોષો વિભાજન પામવાની શરૂઆત કરે છે અને ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં વિકાસ પામે છે. આવી જાતોમાં પ્રત્યેક અંડક ઘણાં ભ્રૂણ ધરાવે છે.
બહુભ્રૂણતા વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં મુખ્ય ભાગ ભજવે છે. આ ભ્રૂણમાંથી મેળવાયેલ વનસ્પતિના છોડ વાઇરસવિહીન અને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે.
ઘણાં ખોરાક (અનાજ) અને શાકભાજીના પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ સંકર પાકોની ઊંચી ઉત્પાદકતા હોય છે.
નીચેનામાંથી શેમાં અસંયોગીજનન જોવા મળે છે?
અસંયોગીજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિમાં અસંયોગીજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
લીંબુમાં એડવેન્ટીવ એમ્બિયોની (અસ્થાનિક ભૂણતા) શેના કારણે જોવા મળે છે?
કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?