પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરાય છે જેને કારણે ગર્ભનો બહાર નિકાલ (expulsion) / પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા (બાળજન્મ)ને પ્રસૂતિ કહે છે. જટિલ ચેતાઅંતઃસ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetal ejection reflex) કહે છે. આ પ્રક્રિયા માતાની પિટચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે. ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે. ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે -પ્રસૂતિ. બાળજન્મ બાદ તરત જ, જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.
પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : જન્મસમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈ સાચી (વાસ્તવિક) પ્રસૂતિપીડા ઉત્પન્ન કરે છે.
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.
પ્રેરિત પ્રસૂતિ કરવા ડોકટર કોનું ઈન્જેકશન આપે છે ?