હવાઈ પુષ્પોનો શો અર્થ છે ? શું સંવૃત પુષ્પોમાં પરપરાગનયન થાય છે ? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા (common pansy), અબુટી (oxalis) અને કોમેલિનામાં બે પ્રકારનાં પુષ્પો સર્જાય છે

હવાઈ પુષ્પો (chasmogamous) કે જે અન્ય જાતિઓમાં જોવા મળતાં પુષ્પો જેવાં જ હોય છે, જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે અને સંવૃત પુષ્પો (cleistogamous) કે જે ક્યારેય ખીલતાં નથી. આવાં પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોય છે. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ, સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. 

Similar Questions

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.

ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.

સ્વફલન માટે શું જરૂરી છે?

મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.