(A) સાચું: સદિશનું માન એ તેની લંબાઈ દર્શાવતી વાસ્તવિક સંખ્યા છે. તેથી,તે અદિશ છે.
$(b)$ ખોટું: સદિશનો દરેક ઘટક એ યામ અક્ષોની દિશામાં રહેલી સદિશ રાશિ છે.
$(c)$ ખોટું: કુલ પથલંબાઈ એ કાપેલું વાસ્તવિક અંતર છે,જે અદિશ છે,જ્યારે સ્થાનાંતરનું માન એ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. કુલ પથલંબાઈ હંમેશા સ્થાનાંતરના માન કરતા વધારે અથવા તેના જેટલી હોય છે.
$(d)$ સાચું: કારણ કે કુલ પથલંબાઈ હંમેશા સ્થાનાંતરના માન કરતા વધારે અથવા તેના જેટલી હોય છે,તેથી બંનેને સમાન સમયગાળા વડે ભાગતા સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના માન કરતા વધારે અથવા તેના જેટલી મળે છે.
$(e)$ સાચું: એક સમતલમાં ન હોય તેવા ત્રણ સદિશો બંધ ત્રિકોણ બનાવી શકતા નથી,જે તેમનો સરવાળો શૂન્ય સદિશ થવા માટેની આવશ્યક શરત છે.