(N/A) $\Rightarrow$ સદાબહાર એટલે એવી વનસ્પતિઓ કે જે ચારેય ઋતુમાં પર્ણો ધરાવે છે,જ્યારે તેનાથી વિપરીત પાનખર વૃક્ષો શિયાળામાં અથવા સૂકી ઋતુમાં તેમના પર્ણો ખરી નાખે છે.
$\Rightarrow$ અનાવૃત બીજધારી (Gymnosperms) વનસ્પતિ $Pinus$ એક સદાબહાર વૃક્ષ છે. પુષ્પધારી વનસ્પતિઓ ખૂબ જ ઠંડા વાતાવરણમાં તેમના પર્ણો ખરી નાખે છે અને સુષુપ્ત અવસ્થામાં જાય છે.
$\Rightarrow$ પરંતુ $Pinus$ માં તેની જાડી છાલ,સોયાકાર પર્ણો અને નિમગ્ન વાયુરંધ્રોને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય છે. ઠંડા પ્રદેશોમાં,ઓછો વરસાદ,હિમવર્ષા અને નીચા તાપમાનને કારણે મૂળ દ્વારા પાણીનું શોષણ ઘટી જાય છે.
$\Rightarrow$ તેમ છતાં $Pinus$ આ પરિસ્થિતિમાં સારી રીતે અનુકૂલિત છે. તે આ ઋતુ દરમિયાન પણ ખોરાક બનાવવાનું ચાલુ રાખે છે. તે તેના પર્ણો ખરી નાખતું નથી,તેથી સોયાકાર પર્ણો કોઈપણ પરિસ્થિતિમાં ઉપલબ્ધ રહે છે,જે સાબિત કરે છે કે $Pinus$ એક સદાબહાર વનસ્પતિ છે.