બે બિંદુવતું વિધુતભારો વચ્ચે લગતા વિધુતબળના મૂલ્ય માટેનો નિયમ કુલંબ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ્યો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુલંબે $q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળાઓ પર સમાન $\frac{q}{2}$ જેટલો વિદ્યુતભાર મેળવ્યો.

ફરીથી એક $\frac{q}{2}$ વિદ્યુતભારિત ગોળાને તેના જેવાં જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરવાની બંને ગોળાઓ પર $\frac{q}{4}$ વિદ્યુતભાર મેળવો.

આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને $\frac{q}{2}, \frac{q}{4}, \frac{q}{8}, \ldots$ વિદ્યુતભારોની જોડ ધરાવતા ગોળાઓ મેળવ્યા.

કુલંબે વિદ્યુતભારોની નિશ્ચિત જોડી માટે અંતર બદલીને તેમની વચ્ચે લાગતું બળ વળતુલાની મદદથી માપ્યું (વળતુલા એ બળ માપવા માટેનું સંવેદી ઉપકરણ છે.) અને તેને નીયેનો સંબંધ આપ્યો.

$F \propto \frac{1}{r^{2}} \quad \ldots (1)$

હવે તેણે કોઈ એક જ અંતરે જુદ્દી જુદી જોડીના વિદ્યુતભારો માટે તેમની વચ્ચે લાગતું બળ માપ્યું અને આ સંબંધ નીચે મુજબ જણાવો.

$F \propto q_{1} q_{2} \quad \ldots (2)$

આમ, સંયુક્ત રીતે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ $F \propto \frac{q_{1} q_{2}}{r^{2}}$ મેળવ્યું જે કુલંબના નિયમ પરથી ઓળખાય છે.

$\therefore F =k \frac{q_{1} q_{2}}{r^{2}}$ જ્યાં $k$ એ કુલંબનો અચળાંક છે.

Similar Questions

$10^{-4} \mathrm{~m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો $30 \mathrm{~cm}$ ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. $2 \pi \mathrm{C}$ મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે $30 \mathrm{pC}$ મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____$\mathrm{N}$ છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)$\left(\right.$ ને, $\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}$ એકમ $)$

  • [JEE MAIN 2024]

બે સમાન સૂક્ષ્મ (નાના) ગોળા પર $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ($Q_1$ $>>$ $Q_2$)આવેલ છે. એકબીજા વચ્ચે લાગતું બળ $F_1$ છે. ગોળાને એકબીજા સાથે સંપર્કમાં લઈને તેટલા જ અંતરે રાખવામાં આવે છે. હવે તેમના વચ્ચે લાગતું બળ $F_2$ છે. તો $F_1/F_2$ ...... હશે.

બે વિદ્યુતભારો $4q$ અને $q,\;l$ અંતરે આવેલા છે. એકબીજો $Q$ વિદ્યુતભાર ને તેમની વચ્ચે (મધ્યબિંદુ આગળ) મૂકેલ છે. જો $q$ પરનું પરિણામી બળ શૂન્ય હોય તો $Q$ નું મૂલ્ય ...... છે.

એક બિંદુવત વીજભાર $q_1=4{q_0}$ ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર $q _2=- q _0,\;\; x=12\,cm$ પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર $q_0$ છે પ્રોટોનને $x$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન $............cm$ છે.

  • [JEE MAIN 2023]

$a$ બાજુવાળા ચોરસ ના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?