(N/A) $\Rightarrow$ મકાઈના પર્ણમાં,ઉપરી અધિસ્તરમાં અમુક અંતરે $5$ થી $7$ મોટા કદના,પાતળી દીવાલવાળા કોષોનો સમૂહ જોવા મળે છે,જેમાં હરિતકણ અને ક્યુટિકલનો અભાવ હોય છે.
$\Rightarrow$ જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે છે અને શુષ્કતા વધે છે,ત્યારે આ કોષો પાણી ગુમાવે છે અને શિથિલ બને છે. પરિણામે,પર્ણપત્ર અંદરની તરફ વળી જાય છે. પર્ણપત્રની સપાટીનું ક્ષેત્રફળ ઘટવાને કારણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અટકે છે.
$\Rightarrow$ ભેજવાળા વાતાવરણમાં,આ કોષો પાણીનું શોષણ કરીને ફરીથી આસુન (turgid) બને છે,જેથી પર્ણ ફરીથી ખુલ્લું થાય છે. પાણી શોષવાની ક્ષમતાને કારણે તેમને જલગ્રાહી કોષો પણ કહેવામાં આવે છે.
$\Rightarrow$ આ કોષો પર્ણની હલનચલન (વળવાની અને ખુલવાની ક્રિયા) માટે જવાબદાર હોવાથી તેમને મોટર કોષો અથવા યાંત્રિક કોષો પણ કહેવામાં આવે છે.