લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
હકીકતમાં, જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખૂલ $/$ બંધ થાય છે.
આંતરિક પરિબળો જેવાં કે અંતઃસ્રાવ, ચયાપચય-જનીન અભિવ્યક્તિને અસરકર્તા હોય છે, બાહ્ય પરિબળો, તાપમાન પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવસ્વરૂપ ફેરફારો સૂચવે છે.
તેથી આપણે કહી શકીએ કે જનીની ક્ષમતા અને વાતાવરણ લક્ષણોની અભિવ્યક્તિ માટેની તક પૂરી પાડે છે.
જ્યારે વનસ્પતિને કોઈ એક લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.
શબ્દભેદ સમજાવો : પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન
કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?
નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?
સંકરણ માટે મેન્ડલ દ્વારા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?