(N/A) બંધ પાત્રમાં અચળ તાપમાને જ્યારે ઘન પદાર્થનું બાષ્પ અવસ્થામાં ઉર્ધ્વપાતન થાય છે,ત્યારે આ સ્થિતિને ઘન-બાષ્પ સંતુલન કહેવામાં આવે છે.
$Ex.-1$: જો આપણે બંધ પાત્રમાં ઘન આયોડિન $(I_2)$ મૂકીએ,તો થોડા સમય પછી પાત્ર જાંબલી બાષ્પથી ભરાઈ જાય છે અને સમય સાથે રંગની તીવ્રતા વધે છે. અમુક સમય પછી રંગની તીવ્રતા અચળ થઈ જાય છે અને આ તબક્કે સંતુલન પ્રાપ્ત થાય છે. આમ,ઘન આયોડિનનું ઉર્ધ્વપાતન થઈને આયોડિન બાષ્પ બને છે અને આયોડિન બાષ્પનું સંઘનન થઈને ઘન આયોડિન બને છે. ગુણધર્મો,રંગ વગેરે અચળ થઈ જાય છે. આ સંતુલનને નીચે મુજબ દર્શાવી શકાય:
$I_{2(s)} \rightleftharpoons I_{2(g)}$ (અચળ $T$ પર)
(જાંબલી ઘન) $\rightleftharpoons$ (જાંબલી બાષ્પ)
આ પ્રકારનું સંતુલન દર્શાવતા અન્ય ઉદાહરણો:
$(i)$ $\text{કપૂર}_{(s)} \rightleftharpoons \text{કપૂર}_{(g)}$ (અચળ $T$ પર)
$(ii)$ $NH_4Cl_{(s)} \rightleftharpoons NH_4Cl_{(g)}$ (અચળ $T$ પર)