મેન્ડલનો પ્રભુતાનો નિયમ (law of dominance) અને વિશ્લેષણનો નિયમ (law of segregation) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રભુતાનો નિયમ (Law ofDominance)

$(i)$ લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર (વિભક્ત-discrete) એકમો દ્વારા થાય છે.

$(ii)$ કારકો જોડમાં હોય છે.

$(iii)$ જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક (પ્રભાવી) અને બીજું (પ્રચ્છન્ન) હોય છે.

$F_1$ માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા $F_2$ માં બંને પિતૃનાં લક્ષણોનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે.

$F_2$ માં $3:1$ નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાવાય છે.

 વિશ્લેષણનો નિયમ (Law of segregation)

જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારનાં લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે, ત્યારે બે કારકો (વૈકલ્પિક કારકો) નિશ્ચિત થયા વગર ભેગાં રહે છે.

જયારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે.

આ રીતે કોઈ પણ જગ્યુકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે જેને જન્યુકોષોની શુદ્ધતાનો નિયમ પણ કહે છે.

સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે-તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે.

સમયુગ્મી પિતૃ (homozygous) દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હોય છે. જયારે વિષમયુગ્મી પિતૃ (heterozygous) દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેમાં પ્રત્યેકમાં એક એક કારક સરખા પ્રમાણમાં હોય છે,

Similar Questions

મેન્ડલે જોયું કે બધી જ $F_1$ સંતતિ વનસ્પતિ-

શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?

સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા  પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?

જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....

વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?

  • [AIPMT 2007]