(N/A) $\rightarrow$ અળસિયાનું ચેતાતંત્ર ચેતાકંદયુક્ત (ganglionated) હોય છે. ચેતાકોષો જોડાઈને ચેતાકંદો બનાવે છે.
$\rightarrow$ $5$મા ખંડ પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે. તેને વક્ષ ચેતારજ્જુ (ventral nerve cord) કહેવામાં આવે છે.
$\rightarrow$ ત્રીજા ખંડના પશ્ચ ભાગમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે. તેને અધોગ્રસનીય ચેતાકંદ (sub-pharyngeal ganglion) કહેવાય છે.
$\rightarrow$ ગ્રસનીની પૃષ્ઠ બાજુએ ત્રીજા ખંડમાં ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે,જેને ઉપરીગ્રસનીય ચેતાકંદ (supra-pharyngeal ganglion) અથવા મસ્તિષ્ક ચેતાકંદ કહેવામાં આવે છે.
$\rightarrow$ આ ચેતાકંદો પરિગ્રસનીય સંયોજકો (circum-pharyngeal connectives) દ્વારા અધોગ્રસનીય ચેતાકંદો સાથે જોડાયેલા હોય છે.
$\rightarrow$ પરિગ્રસનીય સંયોજકો અધોગ્રસનીય ચેતાકંદ અને ઉપરીગ્રસનીય ચેતાકંદને જોડીને એક ચેતા વલય (nerve ring) બનાવે છે.
$\rightarrow$ મસ્તિષ્ક ચેતાકંદો,વલયમાં રહેલી અન્ય ચેતાઓ સાથે મળીને સંવેદનાત્મક માહિતીનું સંકલન કરે છે અને શરીરના સ્નાયુબદ્ધ પ્રતિભાવોનું નિયંત્રણ કરે છે.