અળસિયાના પ્રજનનતંત્રની રચના આકૃતિ સાથે વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ અળસિયું ઉભયલિંગી પ્રાણી છે,એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ એક જ પ્રાણીમાં જોવા મળે છે.
$\rightarrow$ $10$ મા અને $11$ મા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે.
$\rightarrow$ તેમની શુક્રવાહિનીઓ $18$ મા ખંડ સુધી લંબાય છે,જ્યાં તે પ્રોસ્ટેટિક નલિકા સાથે જોડાય છે.
$\rightarrow$ બે જોડ સહાયક પ્રજનન ગ્રંથિઓ હાજર હોય છે,એટલે કે $17$ મા અને $19$ મા ખંડમાં દરેકની એક જોડ.
$\rightarrow$ સામાન્ય પ્રોસ્ટેટિક અને શુક્રવાહિની નલિકા $18$ મા ખંડની વક્ષ-પાર્શ્વ બાજુએ એક જોડ નર જનન છિદ્રો દ્વારા બહાર ખુલે છે.
$\rightarrow$ ચાર જોડ શુક્રસંગ્રહાશય $6$ થી $9$ ખંડમાં આવેલા હોય છે (દરેક ખંડમાં એક જોડ). તે મૈથુન દરમિયાન શુક્રકોષો મેળવે છે અને સંગ્રહ કરે છે.
$\rightarrow$ એક જોડ અંડપિંડ $12$ મા અને $13$ મા ખંડના આંતરખંડીય પટલ સાથે જોડાયેલા હોય છે.
$\rightarrow$ અંડપિંડની નીચે અંડવાહિની નિવાપ આવેલા હોય છે જે અંડવાહિનીમાં આગળ વધે છે,એકબીજા સાથે જોડાય છે અને $14$ મા ખંડ પર એક મધ્યસ્થ માદા જનન છિદ્ર તરીકે વક્ષ બાજુએ ખુલે છે.
$\rightarrow$ મૈથુન: મૈથુન દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોની પરસ્પર આપ-લે થાય છે. તેઓ વિરુદ્ધ જનન છિદ્રોને સામસામે રાખીને મૈથુન કરે છે.
$\rightarrow$ એક અળસિયાના નર જનન છિદ્રો બીજા અળસિયાના શુક્રસંગ્રહાશયના છિદ્રોના સંપર્કમાં આવે છે.
$\rightarrow$ આ સ્થિતિમાં શુક્રકોષો મુક્ત થવાને કારણે,શુક્રકોષો સાથી પ્રાણીના શુક્રસંગ્રહાશયમાં પ્રવેશ કરે છે.
$\rightarrow$ આમ શુક્રકોષોની આપ-લે કર્યા પછી,સાથી પ્રાણીઓ એકબીજાથી અલગ થાય છે.
$\rightarrow$ કોકૂનનું નિર્માણ: થોડા સમય પછી,ક્લાઇટેલમની ગ્રંથિઓ સ્ત્રાવ કરે છે અને સફેદ પટ્ટી જેવી રચના બનાવે છે.
$\rightarrow$ સંકોચનને કારણે,ધીમે ધીમે આ પટ્ટી/નળી અગ્ર છેડા તરફ ખસે છે.
$\rightarrow$ જ્યારે અગ્ર છેડા તરફ જતી પટ્ટી શુક્રસંગ્રહાશયના વિસ્તારમાંથી પસાર થાય છે,ત્યારે શુક્રસંગ્રહાશયમાં સંગ્રહિત શુક્રકોષો તેમાં પ્રવેશ કરે છે.
$\rightarrow$ હવે આ નળીમાં,તે જ પ્રાણીના અંડકોષો,સાથી પ્રાણીના શુક્રકોષો અને પોષક પ્રવાહી એકત્રિત થાય છે.
$\rightarrow$ શરીરની બહાર આવતી નળી/પટ્ટીના બંને છેડા બંધ થઈ જાય છે. આ બંધ નળી એટલે કોકૂન. તેમાં ફલન થાય છે અને અંડકોષો યુગ્મનજમાં પરિણમે છે.
$\rightarrow$ લગભગ $3$ અઠવાડિયા પછી,દરેક કોકૂનમાંથી બે થી વીસ નાના અળસિયા ઉત્પન્ન થાય છે.
$\rightarrow$ અળસિયાનો વિકાસ સીધો હોય છે. તેનો અર્થ એ કે વિકાસ દરમિયાન કોઈ ડિંભ અવસ્થા જોવા મળતી નથી.

Explore More

Similar Questions

અળસિયા માટે અસંગત વિધાન પસંદ કરો.

અળસિયામાં ચેતાતંત્ર માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

અળસિયામાં જોવા મળતી ઉત્સર્ગિકાઓના પ્રકારો નીચેનામાંથી કયા છે?

$Pheretima$ (અળસિયા) ના $7$ મા અને $9$ મા ખંડમાં નીચેનામાંથી કઈ રચના જોવા મળે છે?

અળસિયાના જઠરમાં આવેલી કેલ્સિફેરસ ગ્રંથિઓ શેનો સ્ત્રાવ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo