મેન્ડલના એકસંકરણ (manohybrid) પ્રયોગનું વર્ણન કરો.
મૅન્ડલે, વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને પ્રથમ પેઢીની સંતતિ મેળવી.
મૅન્ડલે જોયું કે $F_1$ પેઢીમાં પ્રાપ્ત બધા છોડ ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતો કોઈ પણ છોડ નીચા ન હતા.
તેમણે નોંધ્યું કે $F_1$ સંતતિમાં, બેમાંથી એક પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા નથી.
$F_1$ પેઢીના બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવતાં, $F_2$ પેઢીમાં $\frac{1}{4}$ છોડ $(25\, \%)$ નીચા હતાં. જયારે $\frac{1}{4}$ $(75\, \%)$ છોડ ઊંચા હતા. આ બંને તેમનાં પિતૃ છોડને સમાન લક્ષણો ધરાવતા હતા. વચગાળાની અભિવ્યક્તિ જોવા મળી નહીં.
અન્ય લક્ષણોમાં પણ આવાં જ પરિણામ પ્રાપ્ત થયાં. એટલે કે $F_1$પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય જ્યારે $F_2$ પેઢીમાં બંને લક્ષણો $3:1$ના પ્રમાણમાં અભિવ્યક્ત થયાં.
આપેલ પ્યુનેટ સ્કવેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નોના ઉતર આપો.
આપેલ પ્યુનેટ સ્કવેરમાં $d$ માં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.
કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?
એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
બે સમયુગ્મી પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે છે, જેને.... તરીકે ઓળખવામાં આવે છે.
કારક પ્રભાવી છે. જો તે ............... પ્રદર્શિત થાય.