(N/A) $RNA$ (રિબોન્યુક્લિક એસિડ) એ ન્યુક્લિઓટાઇડ્સનો પોલીમર છે. દરેક ન્યુક્લિઓટાઇડ નાઇટ્રોજનયુક્ત બેઇઝ,પેન્ટોઝ શર્કરા (રિબોઝ) અને ફોસ્ફેટ સમૂહનો બનેલો હોય છે.
$RNA$ માં દરેક રિબોઝ શર્કરા પર $2'-OH$ સમૂહની હાજરી તેને સક્રિય બનાવે છે,જે $RNA$ ને અસ્થાયી અને સરળતાથી વિઘટન પામે તેવું બનાવે છે.
$RNA$ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. એવા પૂરતા પુરાવા છે કે જીવનની આવશ્યક પ્રક્રિયાઓ જેવી કે ચયાપચય,ભાષાંતર (translation) અને સ્પ્લાયસિંગ $RNA$ ની આસપાસ વિકસિત થઈ હતી.
$RNA$ આનુવંશિક દ્રવ્ય અને ઉદ્દીપક બંને તરીકે કાર્ય કરતું હતું. સજીવ તંત્રમાં કેટલીક જૈવરાસાયણિક પ્રક્રિયાઓ પ્રોટીન ઉત્સેચકોને બદલે $RNA$ ઉદ્દીપકો (રાઇબોઝાઇમ્સ) દ્વારા થાય છે.
$RNA$ ઉદ્દીપક તરીકે સક્રિય અને અસ્થાયી હોવાથી,$DNA$ નું $RNA$ માંથી રાસાયણિક ફેરફારો (ખાસ કરીને $2'-OH$ સમૂહ દૂર થવો) દ્વારા ઉત્ક્રાંતિ થઈ જેથી તે વધુ સ્થાયી બની શકે.
$DNA$ બેવડી શૃંખલા ધરાવે છે અને પૂરક શૃંખલા ધરાવતું હોવાથી તેમાં સમારકામ (repair) ની પ્રક્રિયા વિકસી છે,જે તેને મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે વધુ સ્થિર બનાવે છે.