ટૂંક નોંધ લખો : $\rm {RNA}$ ની રચના તથા પ્રકાર
$RNA$ (રિબોન્યુક્લિઇક ઍસિડ) ત્રણ ઘટકો ધરાવે છે : પેન્ટોઝ શર્કરા (રિબોઝ), નાઇટ્રોજન બેઇઝ $(A, C, G, U)$ અને ફૉસ્ફટ અણુ.
$RNA$ પ્રથમ નિર્મિત જનીન દ્રવ્ય છે. જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા - Splicing, $RNA$ અંતર્ગત ક્રિયાશીલ હોય છે.
$RNA$ ઉત્સેચક તરીકે વર્તે છે. કારણ $2'-OH$ સમૂહ રિબોન્યુક્લિઓટાઇડમાં ક્રિયાશીલ છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે જે $RNA$ ઉત્સેચક દ્વારા થાય છે, પ્રોટીન ઉત્સેચકોનો તેમાં ફાળો હોતો નથી.
$RNA$ ઉત્સેચક હોવાના કારણે અસ્થાયી છે તેથી તેના રાસાયણિક રૂપાંતરણથી $DNA$ની ઉત્પત્તિ થઈ જે સ્થાયી છે. $DNA$ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતાં પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે.
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $-I$ | વિભાગ $-II$ | વિભાગ $-III$ |
$(1)\, 1952$ | $(a)$ વોટસન અને ક્રિક | $(i)$ $DNA$ નું બેવડું કુંતલાકાર મોડેલ |
$(2)\, 1928$ | $(b)$ ફેડરીક મીશર | $(ii)$ $DNA$ જનીન દ્રવ્યછે તેની સાબિતી |
$(3)\,1869$ | $(c)$ ગ્રીફીથ | $(iii)$ ન્યુકલેઈન |
$(4)\,1953$ | $(d)$ હર્શી અને ચેઈઝ | $(iv)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.