(N/A) મધમાખીઓમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત સજીવને મળતા રંગસૂત્રોના સેટની સંખ્યા પર આધારિત છે.
શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કામદાર) તરીકે વિકસે છે,અને અફલિત અંડકોષ અસંયોગીજનન (parthenogenesis) દ્વારા નર (ડ્રોન) તરીકે વિકસે છે. આનો અર્થ એ છે કે નરમાં માદા કરતા અડધા રંગસૂત્રો હોય છે.
માદાઓ દ્વિતીય (diploid) હોય છે જેમાં $32$ રંગસૂત્રો હોય છે અને નર એકકીય (haploid) હોય છે,એટલે કે તેમાં $16$ રંગસૂત્રો હોય છે. આને હેપ્લો-ડિપ્લોઇડ લિંગ નિશ્ચયન પદ્ધતિ કહેવામાં આવે છે. તેની ખાસ લાક્ષણિકતાઓ છે,જેમ કે: નર સમભાજન (mitosis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે,તેમને પિતા હોતા નથી અને તેથી તેમને પુત્રો હોઈ શકતા નથી,પરંતુ તેમને દાદા હોય છે અને તેમને પૌત્રો હોઈ શકે છે.