$f$ કેન્દ્રલંબાઈ અને $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. આ લેન્સને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. હવે આ લેન્સ કેવી રીતે વર્તશે?

  • A
    માત્ર $R$ પર આધાર રાખીને બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ તરીકે
  • B
    $n_{1}$ અને $n_{2}$ પર આધાર રાખીને બહિર્ગોળ લેન્સ તરીકે
  • C
    $n_{1}$ અને $n_{2}$ પર આધાર રાખીને અંતર્ગોળ લેન્સ તરીકે
  • D
    $R, n_{1}$ અને $n_{2}$ થી સ્વતંત્ર સમાન કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ

Explore More

Similar Questions

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર ન્યૂનતમ થાય?

જો હવા થી કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ હોય અને હવા થી પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય,તો પાણીમાં અને હવામાં કાચના લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

એક વસ્તુ લેન્સની સામે $2.4 \ m$ અંતરે છે અને લેન્સની પાછળ $12 \ cm$ અંતરે આવેલા ફિલ્મ પર સ્પષ્ટ પ્રતિબિંબ રચે છે. $1 \ cm$ જાડાઈની અને $1.50$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટને લેન્સ અને ફિલ્મની વચ્ચે મૂકવામાં આવે છે,જેની સપાટી ફિલ્મની સમાંતર છે. ફિલ્મ પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને કેટલા અંતરે (લેન્સથી) ખસેડવી જોઈએ ($m$ માં)?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $15 \, cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. નીચેનામાંથી કયું સાચું છે?

પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ નીચે મુજબ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે?
$(a)$ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ,અને
$(b)$ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo