જીવન-વૃત્તાંત વિવિધતાઓ સમજાવો.
વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનનયોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા (ઊંચા r મૂલ્યની યોગ્યતા) પણ કહેવામાં આવે છે તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ, સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે.
કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે -પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ (Pacific salmon fish and bamboo), જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રજનન કરે છે -મોટા ભાગનાં પક્ષીઓ અને સસ્તનો (most birds and mammals). કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે - છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ (Oysters and pelagic fishes) જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે -પક્ષીઓ અને સસ્તનો (birds and mammals). તેથી, મહત્તમ યોગ્યતા માટે કોણ ઇચ્છનીય છે
પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોનાં જીવન-વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓમાં જીવન-વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલાં છે.
જો ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી $3$ વર્ષમાં કદમાં બેગણી થઈ જાય છે, તો તેના વધારાનો આંતરિક દર $(r)$ શું છે?
વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળઃ-
લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$
નીચે વસતિવૃદ્વિ વક્ર આપેલ છે. $P$ અને $Q$ ના સમીકરણો ઓળખો.
$\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]$ સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં $K$ દર્શાવે છે :