જીવન-વૃત્તાંત વિવિધતાઓ સમજાવો.
વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનનયોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા (ઊંચા r મૂલ્યની યોગ્યતા) પણ કહેવામાં આવે છે તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ, સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે.
કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે -પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ (Pacific salmon fish and bamboo), જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રજનન કરે છે -મોટા ભાગનાં પક્ષીઓ અને સસ્તનો (most birds and mammals). કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે - છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ (Oysters and pelagic fishes) જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે -પક્ષીઓ અને સસ્તનો (birds and mammals). તેથી, મહત્તમ યોગ્યતા માટે કોણ ઇચ્છનીય છે
પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોનાં જીવન-વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓમાં જીવન-વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલાં છે.
વસ્તીગીચતામાં વધઘટ થવા માટે જવાબદાર વિવિધ પ્રક્રિયાઓ વર્ણવો.
પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.
ચરઘાતાંકીય વૃધ્ધિ નીચેનામાંથી કયાં સૂત્રથી માપી શકાય ?
જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?
દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?