કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું ? પ્રયોગ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઈ. સ. $1953$ માં એસ. એલ. મિલર (S. L. Miller) નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીનાં આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી (આકૃતિ). તેમણે બંધ ફ્લાસ્કમાં $CH_4, H_2, NH_3$ અને પાણીની વરાળને $800\,^oC$ તાપમાને મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુતઊર્જા મુક્ત કરાવી.

 

તેમણે જોયું કે તેમાં એમિનોએસિડનું નિર્માણ થયું હતું. આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળ્યું. તેમાં શર્કરા, નાઈટ્રોજન બેઈઝ, રંજકદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું.

પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથક્કરણ કરતાં આવાં દ્રવ્યો તેમાં પણ મળી આવે છે જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્દવિકાસની વાતને વધતા કે ઓછા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે.

969-s16g

Similar Questions

પૃથ્વીની શરૂઆતમાં નીચેની બધી સ્થિતિ જોવા મળતી સિવાય,

સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?

રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?

મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?

........... વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક અણુઓ ઉદ્દવિકાસને આઘારે ઉત્પન્ન થયા છે.