સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઇ-કોલાઈ (E.Coli)માં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સુચકોના સમૂહની જરૂર હોય છે. તેનાં મુખ્ય ઉત્સુચક $DNA$ પોલિમરેઝ છે. તે $DNA$ પ્રતિકૃતિ (template) વડે $DNA$ના બહુલીકરણ (Polymerisation)ને ઉત્પ્રેરિત કરે છે.

E.Coliમાં $4.6 \times 10^6\, bp$ અને મનુષ્યમાં $6.6 \times 10^6\, bp$ છે. જેમાં સ્વયંજનન પૂર્ણ થવા માટે $18$ મિનિટનો સમય લાગે છે. એટલે કે, બહુલીકરણનો દર $2000\, bp$ પ્રતિ સેકન્ડ હોય છે.

આ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. જેમાં ડિઑક્સિરિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફૉસ્ફટ બેવડાં કાર્ય કરે છે.

પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરે છે.

શક્તિ પૂરી પાડે છે (છેડાના બે ફૉસ્ફટ ખૂબ ઊર્જાસભર છે).

સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે $DNA$ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉન્સેચકોની જરૂર પડે છે.

લાંબા $DNA$ના અણુની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ અલગ થતી નથી. તે માટે વધુ ઊર્જા જોઈએ) સ્વયંજનન $DNA$ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને સ્વયંજનન ચીપિયો (Replication fork) કહે છે.

$DNA$ પોલીમરેઝ બહુલીકરણને માત્ર એક જ દિશા $5' 3'$ તરફ ઉત્પ્રેરિત કરે છે તેના કારણે, $(3' - 5'$ છેડાવાળી ટેબ્લેટ) શૃંખલા પર સ્વયંજનન સતત (continuous) થાય છે, જયારે બીજી $(5' - 3'$ છેડા વાળા ટેબ્લેટ) પર તૂટક (discontinuous) થાય છે. આ રીતે સંશ્લેષિત ટુકડાઓ (ઓકઝાકી ટુકડાઓ) બાદમાં $DNA$ લાઈગેઝ દ્વારા એકબીજા સાથે જોડાય છે.

$DNA$ પોલિમરેઝ પોતે સ્વયંજનન શરૂ નથી કરી શકતો, તેમજ સ્વયંજનન $DNA$માં ગમે તે સ્થાનેથી શરૂ થતું નથી. E. Coliમાં $DNA$માં કેટલાંક નિશ્ચિત સ્થાનો હોય છે, જ્યાંથી સ્વયંજનનેની શરૂઆત થાય છે તેને સ્વયંજનને ઉત્પત્તિ સ્થાન (origin of replication) નામ અપાયું છે.

સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનરૂપી $DNA$ ના ટુકડાની જરૂર પડે તો તેને પુનઃસંયોજિત પદ્ધતિ દ્વારા મેળવાય છે, જેમાં વાહકની જરૂર પડે છે જે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે.

સુકોષકેન્દ્રી (eukaryota)માં સ્વયંજનન કોષવિભાજનના $S$ તબક્કામાં થાય છે. $DNA$નું સ્વયંજનન અને કોષવિભાજન ચક્ર મોટા ભાગે સંકળાયેલા હોય છે. $DNA$ના સ્વયંજનન બાદ કોષવિભાજન ના થાય તો પોલિપ્લોઇડી (રંગસૂત્રીય અનિયમિતતાઓ) ઉત્પન્ન થાય છે.

968-s29g

Similar Questions

$DNA$ સ્વયંજનન બાદ કોષવિભાજનન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે ?

ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?

  • [AIPMT 1996]

ઈ.કોલાઈના $DNA$ ના સ્વયંજનનને પૂર્ણ થતા કેટલો સમય લાગે છે ?

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત પ્રકારે થાય છે તેના વિશે સૌપ્રથમ જાણકારી ક્યા બેક્ટેરિયામાથી પ્રાપ્ત થઈ ?

બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?