મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણ (hybridization)નાં ચરણો (steps) વર્ણવો.
મૅન્ડલે વટાણાના બે છોડ પસંદ કર્યા, જે પૈકી એક ઊંચા પ્રકાંડવાળો (Tall) અને બીજો વામન $/$ નીચો (Dwarf) પ્રકાંડવાળો હતો. આ બંને છોડને પિત છોડ $(P)$ ગણવામાં આવ્યા, જેનો શુદ્ધ ઉછેર હતો (અનેક પેઢીઓ સુધી લક્ષણોની શુદ્ધતા ધરાવતા હોય).
જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી પુંકેસર દૂર કરવામાં આવેલ. આ પુષ્યને જ્યાં સુધી પુષ્ય પરિપક્વ થાય ત્યાં સુધી નાની પેપર કોથળી વડે ઢાંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજને તેના સ્ત્રીકેસર પર છાંટવામાં આવી હતી.
વટાણાના છોડનાં પુષ્પ ઊભયલિંગી હોય છે. આ પદ્ધતિમાં એક નર અને બીજું માદા તરીકે ગણવામાં આવે છે.
છોડનું પુંકેસર જેને માદા તરીકે ગણવામાં આવે છે તેને જયુવેનાઇલ (અપરિપક્વ) તબક્કામાં દૂર કરવામાં આવે છે. આને ઇમેક્યુલેશન કહે છે, સ્વપરાગનયન અટકાવવા કરાય છે.
વંધ્ય પુખને કોથળી દ્વારા ઢાંકી આવરિત કરાય છે. આને બેગિંગ કહે છે. જેના દ્વારા અનૈચ્છિક પરંપરાગનયન અટકાવાય છે.
નર છોડમાંથી પુખ્ત પરાગરજને એકઠી કરાઈ વંધ્ય પુષ્પ પર ફેલાવવામાં આવે છે.
આ છોડનાં બીજને એકત્ર કરવામાં આવેલ. આ બીજને વાવી, છોડનાં જૂથ ઉછેરવામાં આવેલ.
આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી (Filial-$F_1$, સંતતિ) કહેવાય છે.
એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?
જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....
અગ્રીય પુષ્પ ધરાવતા વામન છોડનુ કક્ષીય પુષ્પ ધરાવતા ઉચા છોડ સાથે સંકરણ કરાવતા $F_1$ પેઢીમાં વામન છોડની સંતતીનું પ્રમાણ કેટલું હશે?
જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.
જ્યારે $F_1$ પેઢીનાં વિષમયુગ્મી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઊંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે તો, તે.....નો સિદ્ધાંત સાબિત કરે છે.