(N/A) વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ-ચેતોપાગમીય અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે.
આ ચેતોપાગમમાં વિદ્યુતપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો વહન પામે છે.
વિદ્યુતકીય ચેતોપાગમમાંથી થતું ઉર્મિવેગનું વહન,એકલ ચેતાક્ષ (axon) પર થતા વહનને સમાન હોય છે.
વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા થતું ઉર્મિવેગનું વહન રાસાયણિક ચેતોપાગમ કરતાં વધુ ઝડપી હોય છે.
મનુષ્યના ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા જોવા મળે છે.
રાસાયણિક ચેતોપાગમ:
રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષોના પટલ વચ્ચે પ્રવાહીથી ભરેલી જગ્યા હોય છે,જેને ચેતોપાગમીય ફાટ (synaptic cleft) કહે છે.
આ ચેતોપાગમમાં ઉર્મિવેગના વહન માટે ચેતાપ્રેષક દ્રવ્યો (neurotransmitters) જવાબદાર હોય છે.
ચેતાક્ષના અંતિમ ભાગમાં ચેતાપ્રેષક દ્રવ્યોથી ભરેલી પુટિકાઓ (vesicles) આવેલી હોય છે.
જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ છેડે પહોંચે છે,ત્યારે તે પુટિકાઓને પટલ તરફ ધકેલે છે,જ્યાં તેઓ રસસ્તર સાથે જોડાઈને ચેતાપ્રેષક દ્રવ્યોને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.
મુક્ત થયેલા ચેતાપ્રેષક દ્રવ્યો પશ્વ-ચેતોપાગમીય પટલ પર આવેલા વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે.
આ જોડાણને કારણે આયનમાર્ગો ખુલે છે,જેનાથી આયનોનો પ્રવેશ થાય છે અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવું વીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે.
આ વીજસ્થિતિમાન ઉત્તેજનાત્મક (excitatory) અથવા અવરોધાત્મક (inhibitory) હોઈ શકે છે.