(N/A) $\Rightarrow$ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે.
$\Rightarrow$ પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા કોષોમાં હોતા નથી,પરંતુ તે કોષો વચ્ચેની આંતરક્રિયાઓ (Interactions)નું પરિણામ છે.
$\Rightarrow$ તેવી જ રીતે,કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય ઘટકો (Molecular Constituents)માં હોતા નથી,પરંતુ તે અંગિકાના આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે.
$\Rightarrow$ આ આંતરક્રિયાઓ આયોજનના ઉચ્ચ સ્તરે ઉદ્ભવતા ગુણધર્મો (Emergent Properties)માં પરિણમે છે.
$\Rightarrow$ આ ઘટના સંગઠનાત્મક જટિલતાની શ્રેણી (Hierarchy)ના દરેક સ્તરે સાચી છે.
$\Rightarrow$ આમ,સજીવો સ્વયં-જનિત,ઉદ્વિકાસ પામતા અને એકબીજા પર અસર કરતાં સ્વયં-નિયંત્રિત તંત્રો છે,જે બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે.
$\Rightarrow$ જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની અને સજીવોના ઉદ્વિકાસની વાર્તા છે.
$\Rightarrow$ દરેક સજીવો—વર્તમાન,ભૂતકાળ અને ભવિષ્ય—એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા,વિવિધ દરજે એકબીજા સાથે સંકળાયેલ છે.