(A-D) $(i)$ સાચું. વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે.
$(ii)$ ખોટું. વર્તુળમાં અસંખ્ય સમાન લંબાઈની જીવાઓ હોઈ શકે છે.
$(iii)$ ખોટું. જો વર્તુળને ત્રણ સમાન ચાપમાં વહેંચવામાં આવે,તો દરેક ચાપનું માપ $120^{\circ}$ થાય,જે અર્ધવર્તુળ $(180^{\circ})$ કરતા નાનું હોવાથી તે લઘુચાપ છે.
$(iv)$ સાચું. વ્યાખ્યા મુજબ,વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે અને તેની લંબાઈ $2 \times \text{ત્રિજ્યા}$ જેટલી હોય છે.
$(v)$ ખોટું. જીવા અને તેને અનુરૂપ ચાપ વચ્ચેના પ્રદેશને વૃતખંડ કહેવાય છે,જ્યારે વૃતાંશ એ ચાપ અને કેન્દ્રને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેનો પ્રદેશ છે.
$(vi)$ સાચું. વર્તુળ એ સમતલ પરના એવા બિંદુઓનો સમૂહ છે જે સમતલના એક નિશ્ચિત બિંદુ (કેન્દ્ર) થી સમાન અંતરે આવેલા હોય છે.