(N/A) સિદ્ધાંત: કોલમ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત મિશ્રણના ઘટકોની અધિશોષક પરની અલગ-અલગ અધિશોષણ ક્ષમતા પર આધારિત છે.
પદ્ધતિ:
$1$. આ પદ્ધતિમાં,યોગ્ય અધિશોષક (જેમ કે સિલિકા જેલ અથવા એલ્યુમિના) ને લાંબી કાચની નળીમાં (બ્યુરેટ જેવી) કોલમ તરીકે ભરવામાં આવે છે,જેના નીચેના ભાગે સ્ટોપકોક હોય છે.
$2$. અધિશોષકને ટેકો આપવા માટે કોલમના તળિયે કપાસ અથવા ગ્લાસ વુલનો પ્લગ મૂકવામાં આવે છે. આ સ્થિર કલા (stationary phase) તરીકે કાર્ય કરે છે.
$3$. જે મિશ્રણ $(a+b+c)$ ને અલગ કરવાનું હોય તેને યોગ્ય દ્રાવકમાં ઓગાળીને અધિશોષક કોલમની ઉપર રેડવામાં આવે છે.
$4$. ત્યારબાદ ઉપરથી સતત યોગ્ય દ્રાવક અથવા દ્રાવકોનું મિશ્રણ ઉમેરવામાં આવે છે,જેને ઈલ્યુશન (elution) કહેવામાં આવે છે.
$5$. ઉમેરવામાં આવેલ દ્રાવક ગતિશીલ કલા (mobile phase) તરીકે કાર્ય કરે છે,જે કોલમમાં નીચે તરફ ગતિ કરે છે.
$6$. જેમ ગતિશીલ કલા નીચે જાય છે,તેમ મિશ્રણના ઘટકો તેમના અલગ-અલગ અધિશોષણને આધારે છૂટા પડે છે. જે ઘટક નબળું અધિશોષિત થાય છે તે મજબૂત રીતે અધિશોષિત થયેલા ઘટક કરતા વધુ ઝડપથી બહાર (elute) આવે છે.
$7$. સંપૂર્ણ અલગીકરણ મેળવવા માટે ઈલ્યુશનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે છે.
$8$. અલગ-અલગ ઘટકોને અલગ-અલગ ફ્લાસ્કમાં વિવિધ અંશ (fractions) તરીકે એકત્રિત કરવામાં આવે છે.