(N/A) સ્તનગ્રંથિ એ તમામ માદા સસ્તનોનું લાક્ષણિક લક્ષણ છે અને તે રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે.
તે પેક્ટોરાલીસ મેજર સ્નાયુઓ પર આવેલી એક જોડ રચના છે.
દરેક સ્તનમાં ગ્રંથિમય પેશીશી અને ચરબીનું વિવિધ પ્રમાણ હોય છે.
બાહ્ય રીતે,દરેક સ્તન એક ઉપસેલી રચના છે,જેના મધ્યમાં નિપલ આવેલું હોય છે,જે એરિયોલા તરીકે ઓળખાતા રંજકદ્રવ્યયુક્ત વિસ્તારથી ઘેરાયેલું હોય છે.
દરેક સ્તનની ગ્રંથિમય પેશી $15-20$ સ્તનખંડોમાં વિભાજિત હોય છે,જેમાં સ્તનકૂપિકાઓ તરીકે ઓળખાતા કોષોના સમૂહ હોય છે.
સ્તનકૂપિકાઓના કોષો દૂધનો સ્ત્રાવ કરે છે,જે સ્તનકૂપિકાઓની ગુહામાં સંગ્રહિત થાય છે.
સ્તનકૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખુલે છે.
દરેક ખંડની નલિકાઓ જોડાઈને સ્તનનળી બનાવે છે.
ઘણી સ્તનનળીઓ જોડાઈને એક પહોળી સ્તન તુંબિકા બનાવે છે,જે દૂધ નળી સાથે જોડાયેલી હોય છે,જેના દ્વારા દૂધ બહાર ખેંચાય છે.